જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત


SHARE







મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત

મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં લોકોની સુવિધાઓ વધે તે માટે જયંતિભાઇ કવાડીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને નવો તાલુકો આપવામાં આવે અને મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરી છે

મોરબીના ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ સહિતના લોકો દ્વારા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયાને રજૂઆતો કરવામાં આવી હતી તેના આધારે તેઓએ હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામો આવે છે અને જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમૂક ગામોનો સમાવેશ કરવામાં આવતાં મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામો થાય છે તેમજ માળીયા તાલુકાનો સમાવેશ થાય છે જેથી મોરબી અને માળીયા (મી) બે તાલુકાનું વિભાજન કરીને  નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબી દિન પ્રતિદિન ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થતુ જાય છે ત્યારે ઉદ્યોગપતિઓ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને મોરબી પાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તે જરૂરી છે






Latest News