મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો


SHARE







મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો

મોરબી જીલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય બાળ સંસ્કાર વર્ગનું તાજેતરમાં રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે વિહિપ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત ઉપરાંત વિહિપ દુર્ગાવાહિની ટોળી સદસ્ય કૃપાબેન લાલ આવ્યા હતા અને તેઓએ આપણી આવનારી પેઢીને બાળકોને સુસંસ્કૃત, આત્મસ્વયંમી, સંસ્કાર, વિવેકવાન અને રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્રસર્વોપરીના સૂત્ર સાથે પોતાના જીવનમાં આગળ વધે તેનું ઘડતર કરવામાં આપણો શ્રેષ્ઠ પ્રયાસ કેવી રીતે થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ અત્યારના બાળકોને આપણા ભારતના ગૌરવશાળી ઇતિહાસ, બૌધકથા તેમજ દેશભક્તિ ગીત જેવા વિષયો નાનપણથી જ આપણા સમાજના કેન્દ્રમાં જોડીને राष्ट्र स्वाहा, इदं राष्ट्राय, इदं न ममના સૂત્ર સાથે દરેક બાળકોમાં રાષ્ટ્રભાવના પ્રગટ કરીએ તેના માટેનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમના અંતમાં વર્ગમાં ઉપસ્થિત દુર્ગા તેમજ માતાઓએ સંકલ્પ કર્યો હતો કે ઈશ્વરને સાક્ષી માનીને પોત પોતાના વિસ્તારોમાં સનાતન સંસ્કારો, દેશભક્તિ, સદ્ગુણો ભાવનાનું સિંચન કરશે.






Latest News