મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?
SHARE
મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?
મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ગઇકાલે નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે આ બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે, રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે ગઇકાલે પોલીસે તપાસ કરી હતી અને પહેલાથી જ ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારી જ શંકાના દાયરા હતા જેથી કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી જો કે, આ બનાવની હજુ સુધી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ નથી
જાણવા મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસ જતી હતી તેમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા ત્યાર બાદ તેઓએ તેની પાસે રહલા ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ ભરેલ થેલો ગુમ છે તેની ખબર પડી હતી જેથી તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે, બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે તપાસનો વિષય હતો અને પરંતુ મોરબી જિલ્લા પોલીસે જીલ્લામાં નાકાબંધી કરવી હતી અને ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી પહેલાથી જ શંકાસ્પદ જણાતો હતો જેથી તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ગઇકાલે બપોરે જે બનાવ જાહેર થયો હતો તેની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી