જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?


SHARE







મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ગઇકાલે નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે આ બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે, રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે ગઇકાલે પોલીસે તપાસ કરી હતી અને પહેલાથી જ ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારી જ શંકાના દાયરા હતા જેથી કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી જો કે, આ બનાવની હજુ સુધી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ નથી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસ જતી હતી તેમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા ત્યાર બાદ તેઓએ તેની પાસે રહલા ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ ભરેલ થેલો ગુમ છે તેની ખબર પડી હતી જેથી તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે, બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે તપાસનો વિષય હતો અને પરંતુ મોરબી જિલ્લા પોલીસે જીલ્લામાં નાકાબંધી કરવી હતી અને ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી પહેલાથી જ શંકાસ્પદ જણાતો હતો જેથી તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ગઇકાલે બપોરે જે બનાવ જાહેર થયો હતો તેની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News