મોરબીના વોર્ડ નં-૧૨ ના મંજુર થયેલા કામો તાત્કાલિક પૂરા કરવા મંત્રી બ્રિજેશભાઈએ કરી તાકીદ
મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ
SHARE
મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ
મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે અને શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય ત્યાં પ્રતિબંધ મૂકીને એક માસ સુધી વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવાની માંગ કરેલ છે