મોરબીમાં રોજગાર કચેરી દ્વારા સંરક્ષણદળોમાં જોડાવા માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન
મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
SHARE
મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
શ્રમ, રોજાગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના નટરાજ રેલવે ફાટક પાસે નિર્માણ પામનાર ઓવરબ્રિજ માટે અગાઉ ૮૦ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. હવે નવી મંજૂરી મુજબ ૮૯.૩૧ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પામશે.
વહિવટી મંજૂરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતા લગભગ તમામ વાહનો નટરાજ રેલવે ફાટક પાસેથી પસાર થાય છે. ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.
સોલાર ઊર્જાથી અનેક ફાયદા
સરકાર દ્વારા વિજળીનો બચાવ થાય તથા ગ્રીન ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જા દ્વારા પ્રકૃતિના સંવર્ધન હેતુ ઊર્જા વિભાગ હેઠળ સોલાર રૂફ ટોપ યોજના અમલમાં મૂકી છે જે અન્વયે સોલાર રૂફ ટોપ યોજનાના લાભાર્થી મોરબીના કે.પી. નગવાડિયા જણાવે છે કે, પરંપરાગત ઊર્જા સ્ત્રોતનો જો આવી જ રીતે ઉપયોગ તેમજ વેડફાટ થતો રહ્યો તો આવતી પેઢી માટે શું વધશે તે પ્રશ્ન છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ છે સોલાર ઊર્જા. હું છેલ્લા ત્રણ વર્ષથી સોલાર રૂફ ટોપ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છું. સોલાર પેનલ લગાવવા માટે સરકારની સબસીડી પણ મળી હતી. હવે સોલાર પેનલ લગાવવાના ખર્ચનું વળતર તો મળી જ ગયું છે સામે એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ ગયો છે









