વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે


SHARE













 

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે

કાલથી શ્રાવણ માસ શરુ થાય છે જેથી કરીને શિવ મંદિરોમાં શણગાર સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે જો કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિવ મંદિરોમાં પુજન અર્ચન અને આરતીમાં જતાં લોકોને પોતાના અને બીજાના આરોગ્યની તકેદારી રાખવાની ખાસ જરૂર છે અને આવતી કાલથી જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો કાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટી પડશે અને આગામી એક મહિના સુધી જિલ્લાના જુદાજુદા શિવ મંદિરમાં પુજન, અર્ચન, આરતી, ભંડારા વિગેરે કરવામાં આવશે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે રહેવા અને જમવા માટેની વ્યવસ્થા અને ભંડારા સહિતની સુવિધાઓને ચાલુ રાખવામા આવી છે તેમજ અન્ય શિવ મંદિરોમાં પણ આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્મ કરવામાં આવશે મોરબીમાં અગ્નેશ્વર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, રફાળેશ્વર સહિતના શિવ મંદિરોમાં મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્યક્રમો આગામી એક મહિના યોજાશે.






Latest News