મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે


SHARE









 

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે

કાલથી શ્રાવણ માસ શરુ થાય છે જેથી કરીને શિવ મંદિરોમાં શણગાર સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે જો કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિવ મંદિરોમાં પુજન અર્ચન અને આરતીમાં જતાં લોકોને પોતાના અને બીજાના આરોગ્યની તકેદારી રાખવાની ખાસ જરૂર છે અને આવતી કાલથી જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો કાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટી પડશે અને આગામી એક મહિના સુધી જિલ્લાના જુદાજુદા શિવ મંદિરમાં પુજન, અર્ચન, આરતી, ભંડારા વિગેરે કરવામાં આવશે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે રહેવા અને જમવા માટેની વ્યવસ્થા અને ભંડારા સહિતની સુવિધાઓને ચાલુ રાખવામા આવી છે તેમજ અન્ય શિવ મંદિરોમાં પણ આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્મ કરવામાં આવશે મોરબીમાં અગ્નેશ્વર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, રફાળેશ્વર સહિતના શિવ મંદિરોમાં મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્યક્રમો આગામી એક મહિના યોજાશે.






Latest News