મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે
SHARE
મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે
કાલથી શ્રાવણ માસ શરુ થાય છે જેથી કરીને શિવ મંદિરોમાં શણગાર સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે જો કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિવ મંદિરોમાં પુજન અર્ચન અને આરતીમાં જતાં લોકોને પોતાના અને બીજાના આરોગ્યની તકેદારી રાખવાની ખાસ જરૂર છે અને આવતી કાલથી જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો કાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટી પડશે અને આગામી એક મહિના સુધી જિલ્લાના જુદાજુદા શિવ મંદિરમાં પુજન, અર્ચન, આરતી, ભંડારા વિગેરે કરવામાં આવશે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે રહેવા અને જમવા માટેની વ્યવસ્થા અને ભંડારા સહિતની સુવિધાઓને ચાલુ રાખવામા આવી છે તેમજ અન્ય શિવ મંદિરોમાં પણ આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્મ કરવામાં આવશે મોરબીમાં અગ્નેશ્વર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, રફાળેશ્વર સહિતના શિવ મંદિરોમાં મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્યક્રમો આગામી એક મહિના યોજાશે.