મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે નવી બનેલ સોસાયટીમાંથી બાઈકની ચોરી


SHARE















મોરબીના લાલપર ગામ પાસે નવી બનેલ સોસાયટીમાંથી બાઈકની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે નવી બનેલી સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને યુવાન દ્વારા પોતાના બાઇકને શોધવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ બાઈક મળ્યું ન હોવાથી હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ તાલુકા શાળા પાછળ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલ નવી સોસાયટીમાં રહેતા મયુરભાઈ પોપટભાઈ માવદીયા જાતે પ્રજાપતિ (ઉમર ૩૪) એ ગત તા.૯-૬ ના રોજ સાંજના સાત વાગ્યાથી લઈને ૧૧-૬ ના બપોરના ત્રણ વાગ્યા સુધી પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૨૫ એન ૪૯૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થયું હોય યુવાને પોતાની રીતે શોધખોળ કરી હતી પરંતુ બાઈકનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોનગર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન અબુભાઈ કટિયા નામની ૨૬ વર્ષીય મહિલાને રણછોડનગર વિસ્તારમાં આવેલ સીટીઝન કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એએસઆઈ વી.ડી.મેતા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી જવાહર સોસાયટીમાં રહેતા કૌશિક રમેશભાઈ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News