મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સરદારબાગ પાસે બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત


SHARE















મોરબીમાં સરદારબાગ પાસે બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે થોડા દિવસો પહેલા રિક્ષાને બોલેરોના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડ રિક્ષા ચાલકેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ સુત્રો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડ રીક્ષા ચલાવવાનું કામકાજ કરતા હોય મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસેથી તેઓ તેમની રિક્ષા લઈને જતા હતા ત્યારે ગત તા.૨૨-૭ ના સવારે દશેક વાગ્યે અજાણ્યા બોલેરોના ચાલકે તેમની રીક્ષાને હડફેટ લેતા ઇજાઓ થવાથી કાનજીભાઈ વાઘેલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે ત્રણ વાગ્યે કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાનું મોત નીપજયું છે.જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી છે જેની આગળની તપાસ એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ ગામે રહેતા કનેશભાઈ વસુનિયાની આઠ માસની દિકરી ભૂમિકાબેન તેઓના ઘેર રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી અને પોતે પાણી પી જતાં તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે હોસ્પિટલ સૂત્ર દ્વારા જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News