મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે


SHARE







મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે

મોરબી નગરપાલિકા દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટને લઈને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઊંચો રાષ્ટ્ધ્વજ ફરકાવવામાં આવશે.નગરપાલિકાના આ રીતે રાષ્ટ્પ્રેમ વ્યક્ત કરવાના નિર્ણયને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે વધાવી લીધો છે. દેશ પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપની લાંબા સમયની માંગ સાકાર થતા પાલિક તંત્રનો આભાર માન્યો છે.

મોરબીમાં હર ઘર તીરંગા યોજના હેઠળ દરેક લોકોને રાષ્ટ્ધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટ ઉંચા પોલ ઉપર રાષ્ટ્ધ્વજ ફરકાવામાં આવશે.૧૫ ઓગસ્ટ પહેલા અથવા ૧૫ ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્ધ્વજ લગાવવામાં આવશે.આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલે રાષ્ટ્ધ્વજ લગાવવાના અને આ રાષ્ટ્ધ્વજ અહીં કાયમી રહેશે તેવા નિર્ણયને સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપે આવકારે છે. યંગ ઇન્ડિયા ગ્રુપે પણ ઘણા સમય પહેલા કોઇ જાહેર જગ્યાએ રાષ્ટ્ધ્વજ ફરકાવાની માંગ હતી.જે માંગ સાકાર થતા ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની સમગ્ર ટીમનો તેઓએ આભાર માન્યો હતો.






Latest News