મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે


SHARE















મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે

મોરબી નગરપાલિકા દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટને લઈને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઊંચો રાષ્ટ્ધ્વજ ફરકાવવામાં આવશે.નગરપાલિકાના આ રીતે રાષ્ટ્પ્રેમ વ્યક્ત કરવાના નિર્ણયને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે વધાવી લીધો છે. દેશ પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપની લાંબા સમયની માંગ સાકાર થતા પાલિક તંત્રનો આભાર માન્યો છે.

મોરબીમાં હર ઘર તીરંગા યોજના હેઠળ દરેક લોકોને રાષ્ટ્ધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટ ઉંચા પોલ ઉપર રાષ્ટ્ધ્વજ ફરકાવામાં આવશે.૧૫ ઓગસ્ટ પહેલા અથવા ૧૫ ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્ધ્વજ લગાવવામાં આવશે.આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલે રાષ્ટ્ધ્વજ લગાવવાના અને આ રાષ્ટ્ધ્વજ અહીં કાયમી રહેશે તેવા નિર્ણયને સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપે આવકારે છે. યંગ ઇન્ડિયા ગ્રુપે પણ ઘણા સમય પહેલા કોઇ જાહેર જગ્યાએ રાષ્ટ્ધ્વજ ફરકાવાની માંગ હતી.જે માંગ સાકાર થતા ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની સમગ્ર ટીમનો તેઓએ આભાર માન્યો હતો.






Latest News