મોરબી જીલ્લામાં પોલીસ દારૂના અડ્ડા બંધ ન કરાવે તો આમ આદમી પાર્ટી કરશે જનતા રેડ
SHARE
મોરબી જીલ્લામાં પોલીસ દારૂના અડ્ડા બંધ ન કરાવે તો આમ આદમી પાર્ટી કરશે જનતા રેડ
બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડના લીધે ઘણા લોકોના મોત થયા છે અને તો પણ આજની તારીખે મોરબી સહિત ગુજરાતમાં દેશી દારૂનું વેચાણ બેફામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપીને નારા લગાવી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રણસરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરીને ભાજપ હાય હાય સહિતના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગયેલ છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે