વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કર્યો આપઘાત: ડેડબોડી ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ


SHARE













ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કર્યો આપઘાત: ડેડબોડી ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ

ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે અને મહિલાની ડેડબોડીને હાલમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (ઉંમર ૨૪) એ પોતાના ઘરની અંદર પોતાની જાતે બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વિનોદભાઈ વશરામભાઈ ભાલોડીયા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન ન હોય મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને મૃતક મહિલાને મારવા માટે મજબૂર કરી હોવાનું તેના પિયરિયા કહી રહ્યા છે અને ફોરેન્સિક પીએમ કરાવવા માટે પોલીસને કહ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક મહિલાની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ છે

ઝેરી દવા પી ગઈ

ટંકારામાં ત્રણ હાટડી શેરી પાસે રહેતા જલ્પાબેન ગૌરવભાઈ કાલાવાડીયા જાતે જૈન (૨૯) કોઈ કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વખત પ્રમાણે ઝેરી દવા પી લેનાર પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તે સાસુ સસરા સાથે રહે છે તેમજ તેને સંતાનમાં એક પોણા બે વર્ષનો બાબો છે જો કે, તેણે કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે






Latest News