મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 


SHARE













મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 

દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે દૂધ, છાસ, અનાજ ઉપર જીએસટી નાખી ગરીબ અને મઘ્યમ વર્ગની કેન્દ્ર સરકારે કમર તોડી નાખી છે અને ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો તેમાં ૫૦ થી વધુ લોકોના મોત થયા છે છતાં તે મૃતકોને શ્રદ્ધાંજલિના બે શબ્દ પણ ભાજપના હોદેદારો કે આગેવાનો બોલી શક્ય નથી ત્યારે મોરબીમાં ભાજપના આગેવાનોને શરમ કરવાની જરૂર છે

મોરબી ભાજપમાં જરા પણ શરમ હોય તો મોરબીની પ્રજા તમારા પાલિકાના શાસનથી થાકી ગયેલ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયેલ છે. આજે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, શેરી ગલ્લીમાં અંઘકર, રોડ રસ્તામાં ખાડા છે જેથી લોકો ત્રાહિમામ છે અને ગુજરાતમાં દેશી દારૂના પરબ ચાલે છે, દિનદહાડે લૂંટફાટ, ખૂના  સહિતના બનાવો બને છે અને લઠ્ઠાકાંડના લીધે ૫૦ થી વધુ લોકોના મોત થયા છે જે સરકારની બેદરકારી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે મોરબી ભાજપના નેતાઓઆ બાબત કેમ મૌન છે તે સૌથી મોટો સવાલ છે અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં શરમ હોય તો તેને આ મુદાઓને પણ પ્રજામાં ઉજાગર કરવાની જરૂર છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે






Latest News