મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 


SHARE









મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 

દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે દૂધ, છાસ, અનાજ ઉપર જીએસટી નાખી ગરીબ અને મઘ્યમ વર્ગની કેન્દ્ર સરકારે કમર તોડી નાખી છે અને ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો તેમાં ૫૦ થી વધુ લોકોના મોત થયા છે છતાં તે મૃતકોને શ્રદ્ધાંજલિના બે શબ્દ પણ ભાજપના હોદેદારો કે આગેવાનો બોલી શક્ય નથી ત્યારે મોરબીમાં ભાજપના આગેવાનોને શરમ કરવાની જરૂર છે

મોરબી ભાજપમાં જરા પણ શરમ હોય તો મોરબીની પ્રજા તમારા પાલિકાના શાસનથી થાકી ગયેલ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયેલ છે. આજે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, શેરી ગલ્લીમાં અંઘકર, રોડ રસ્તામાં ખાડા છે જેથી લોકો ત્રાહિમામ છે અને ગુજરાતમાં દેશી દારૂના પરબ ચાલે છે, દિનદહાડે લૂંટફાટ, ખૂના  સહિતના બનાવો બને છે અને લઠ્ઠાકાંડના લીધે ૫૦ થી વધુ લોકોના મોત થયા છે જે સરકારની બેદરકારી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે મોરબી ભાજપના નેતાઓઆ બાબત કેમ મૌન છે તે સૌથી મોટો સવાલ છે અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં શરમ હોય તો તેને આ મુદાઓને પણ પ્રજામાં ઉજાગર કરવાની જરૂર છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે






Latest News