મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
SHARE
મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને આગામી તા ૩૧ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે બાદ રાત્રીના ૧૦ કલાકે ભજનિક રામદાસ ગોંડલીયા અને સોનલબેન ઠાકોરના કંઠે સંતવાણી યોજાશે જેમાં ભાવેશભાઈ ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.
આગામી તા.૧ ઓગસ્ટના રોજ રમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં સવારે ૯:૧૫ કલાકે મહાયજ્ઞ, બપોરે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં સમસ્ત પાનેલી ગામને અને મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામના કુળદેવતા સરમરીયા દાદાના નવનિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સંતવાણી સહિત કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરી અને ભાણેજાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે