ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ


SHARE













ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લંપી વાયરસના કારણે ઘણા દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા પશુઓ હાલમાં સારવાર હેઠળ છે ત્યારે માલધારીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે જેથી કરીને ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લંપી વાયરસના કારણે દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની સામે પશુપાલકોને સહાય આપવામાં આવે અને આ રોગને કાબૂમાં લેવા માટે થઈને નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના સનાળા ગામ પાસેથી રાજપર રોડ ઉપર જવાના રસ્તે રહેતાં ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, લંપી વાયરસના કારણે હાલમાં મોરબી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અનેક દુધાળા પશુઓ છેલ્લા દિવસોમાં મૃત્યુ પામ્યા છે અને ઘણા અસરગ્રસ્ત અબોલ જીવા હાલમાં સારવાર હેઠળ છે જેથી માલધારીની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને દુધાળા પશુઓના મૃત્યુ થવાના કારણે તેઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને દૂધાળા પશુ મૃત્યુ પામેલ હોય તો તાત્કાલિક સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે અને હાલમાં જે લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં બેકાબૂ છે તેને કાબૂમાં લેવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં માલધારીઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેવું હાલમાં ધર્મેશભાઈ રબારીએ જણાવ્યું છે






Latest News