ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ


SHARE







ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લંપી વાયરસના કારણે ઘણા દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા પશુઓ હાલમાં સારવાર હેઠળ છે ત્યારે માલધારીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે જેથી કરીને ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લંપી વાયરસના કારણે દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની સામે પશુપાલકોને સહાય આપવામાં આવે અને આ રોગને કાબૂમાં લેવા માટે થઈને નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના સનાળા ગામ પાસેથી રાજપર રોડ ઉપર જવાના રસ્તે રહેતાં ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, લંપી વાયરસના કારણે હાલમાં મોરબી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અનેક દુધાળા પશુઓ છેલ્લા દિવસોમાં મૃત્યુ પામ્યા છે અને ઘણા અસરગ્રસ્ત અબોલ જીવા હાલમાં સારવાર હેઠળ છે જેથી માલધારીની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને દુધાળા પશુઓના મૃત્યુ થવાના કારણે તેઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને દૂધાળા પશુ મૃત્યુ પામેલ હોય તો તાત્કાલિક સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે અને હાલમાં જે લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં બેકાબૂ છે તેને કાબૂમાં લેવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં માલધારીઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેવું હાલમાં ધર્મેશભાઈ રબારીએ જણાવ્યું છે






Latest News