મોરબીમાં નાની કેનાલ રોડે રોડની મરામત અને સ્પીડ બ્રેકર હટાવવાની માંગ
મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ગોસ્વામી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી અને ઉપ પ્રમુખ બળવંતગીરી ગોસ્વામી, મંત્રી નિતેષગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, તા. ૩૧ ને રવિવારના રોજ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે સવારે નવ વાગ્યે વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારીક સ્નેહ મિલન રાખેલ છે જેમાં ઘો. ૧થી કોલેજ સુધીના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી-રાજકોટ, ડો.મનીષગીરી કાંતિગીરી-રાજકોટ, કરણપુરી લકમણપુરી-ભાણવડ, મુકેશગીરી (ડેરી વડારા), મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, પત્રકાર સુરેશગીરી ગોસ્વામી, અલ્પેશગીરી ગોસ્વામી, વિશાલ ભારતી, અતુલપુરી તેમજ બુધ્ધગીરી બાપુ, હસુબાપુ (ભગવાગૃપ), ભાવેશ્વરી માતાજી, શાંતિગીરી બાપુ વગેરે હાજરી આપશે