ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ વેવાણની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં મૃતકના પતિ, સાસુ અને સસરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (૨૪) એ પોતાના ઘરની અંદર બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતા કમળાબેન ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) (રહે. હડમતીયા) વાળાએ તેની વેવાણ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, વેવાઈ ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જમાઈ જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી સુમિતાને તેના સાસુ અને સસરા ઘરના પાણીની મોટરમાંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હતા તેમજ તેના પતિને સુમિતાએ આંખના નંબર હોય માથાનો દુખાવો થતો હતો જેથી દવાખાને લઇ જવાનું અવાર નવાર કહ્યું હતું જો ક,એ દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યો હતો અને મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને તેની દીકરીએ ગળેફાસો ખાઇને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૬૪૯૮(ક)૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News