મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ વેવાણની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં મૃતકના પતિ, સાસુ અને સસરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (૨૪) એ પોતાના ઘરની અંદર બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતા કમળાબેન ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) (રહે. હડમતીયા) વાળાએ તેની વેવાણ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, વેવાઈ ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જમાઈ જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી સુમિતાને તેના સાસુ અને સસરા ઘરના પાણીની મોટરમાંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હતા તેમજ તેના પતિને સુમિતાએ આંખના નંબર હોય માથાનો દુખાવો થતો હતો જેથી દવાખાને લઇ જવાનું અવાર નવાર કહ્યું હતું જો ક,એ દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યો હતો અને મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને તેની દીકરીએ ગળેફાસો ખાઇને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૬૪૯૮(ક)૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News