મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા સુરજી ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત


SHARE













ટંકારાના નેસડા (સુરજી) ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની પંદર વર્ષીય સગીરાને વાડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલ નેસડા (સુરજી) ગામે પ્રભુભાઈ જીવાણીની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની રોશનીબેન નટુભાઈ ચૌહાણ જાતે આદિવાસી ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાને ગત મોડી રાત્રીના વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસ મથકના વસંતભાઈ વઘેરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી નજીક રહેતા મગનભાઈ નાડિયાનો નવ વર્ષીય પુત્ર પરેશ પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે ગતરાત્રીના દશેક વાગ્યાના અરસામાં જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઈજાઓ થતાં પરેશ મગનભાઇ (ઉમર ૯) ને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ નજીક ઓશીયન સીરામીક પાસે કામ દરમિયાન ગઈકાલે ઝેરી જનાવર કરડી જવાથી મનોજભાઈ રામલગનભાઈ યાદવ નામના ૩૫ વર્ષના મજૂર યુવાનને અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરની શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન કિશનભાઇ ગોહિલ નામની ૨૫ વર્ષીય પરણીતાને તેની સાસરીમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી રિદ્ધિબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News