માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ એડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મજૂરે કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઇ આવ્યા હતા અને ત્યારબાદ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ અડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પવનભાઈ રાજુભાઈ નાયક (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે તે ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.ત્યારબાદ તેના પિતા રાજુભાઈ મૃતક પવનભાઇની ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ તે આર્થિક કારણોસર મૃતકે અંતિમ પગલું ભરી લીધું હતું.

બાળકી-સગીર સારવારમાં

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ ધાંણકની અઢી વર્ષીય દીકરી રીયા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી જેથી કરીને તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામના રહેવાલી અનિલ નિતેષભાઈ જાતે દેવીપુજક નામના ૧૫ વર્ષીય સગીરને ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખેતરમાં ડાબા હાથના ભાગે સાપ કરડી જતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા બંને બનાવો અંગે નોંધ કપીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના રહેવાસી રાકેશ ગુલાબભાઇ રાઠોડ (૨૯) અને ઈરફાન કરીમભાઇ અગરિયા (૩૬) નામના બે યુવાનો અમરાપર ગામથી ટંકારા જતા હતા ત્યારે તેઓનું બાઈક પુલિયા પાસે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News