મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા


SHARE















ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા

રાજયભરમાં ગૌધન ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવાથી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરના પશુધનમાં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫.૩૪ લાખ જેવુ ગૌધન કચ્છમાં છે અને ૧.૫૦ લાખ જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો, સ્વયંમ સેવકોને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે.

આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ કરવામાં આવે અને વધુને વધુ પશુવાનની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકોની રજુઆતોને લઈ આજે પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦ ટકા રસીકરણ, જન જાગૃતી અને સાવચેતીના પગલા ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસથી બચાવી શકાય તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News