મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિકાસયાત્રા દરમ્યાન દસ હજાર જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું 


SHARE















મોરબી જિલ્લામાં વિકાસયાત્રા દરમ્યાન દસ હજાર જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું 

રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે મોરબી જિલ્લામાં પણ બે રથ વિકાસ યાત્રા અતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વિકાસ યાત્રા રથનું જ્યાં જ્યાં આગમન થાય ત્યાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઔષધીય રોપાઓનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી.

હરિયાળું ગુજરાતની સંકલ્પનાને સિદ્ધ કરી શકાય તથા ઔષધીથી થતા લાભથી લોકો જાણકાર બને ઉપરાંત ઔષધીઓ તેમને ઘર આંગણે જ ઉપલબ્ધ બની રહે તે હેતુથી વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરેક સ્થળે ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે અંદાજે દસ હજારથી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા વંદે ગુજરાત વિકાસ રથ સાથે આ ઔષધીય રોપાઓનું વિતરણ કરી શકાય તેવા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું. જે હેઠળ ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓના હસ્તે ગ્રામજનોને આ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પણ ઔષધીય છોડ દ્વારા કરવામાં આવી રહ્યુ હતું.






Latest News