માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !


SHARE













મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં અટલ ટીકરીંગ લેબના લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં આવેલા મંત્રીએ જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના નામમાં પણ ભાંગરો વાટ્યો હતો અને અટલ ટીકરીંગ લેબના બદલે અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો

મોરબી શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં શાળાના સંચાલક જયંતિભાઈ રાજકોટિયા તેમજ આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા ત્યારે સ્કૂલના સંચાલકએ જણાવ્યું હતું કેવર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ મંજૂર કરવામાં આવે છે

આ લેબ માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીની શાળામાં જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના થકી બાળકોના ઉજવળ ભવિષ્યની વાત કરી હતી જો કે, તેઓએ વિદ્યાર્થી અને વાલી સહિતનાઓને સંબોધન કરતાં સમયે તેમજ પત્રકારોને માહિતી આપતા સમયે અટલ ટીકરીંગ લેબની જગ્યાએ તેઓએ અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો આમ જેનું લોકાર્પણ કર્યું તે લેબના નામમાં જ મંત્રીએ ભાંગરો વાટતા શૈક્ષણીક સંસ્થાના લોકો તેમજ વાલીઓ સહિતનાઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ હતો






Latest News