મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ


SHARE







મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ

મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં લંમ્પીએ માથુ ઊંચક્યું છે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશો તેની ઝપેટમાં આવ્યા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં શહેરી વિસ્તારમાં પણ ગૌવંશોના મૃત્યુ થઈ રહ્યા છે જોકે કોરોનાની માફક જ મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે નવી વાસ્તવિકતા છે. તેની વચ્ચે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ ગૌશાળામાં હાલમાં વાયરસના લીધે મુખ્ય નંદીનો ભોગ લેવાયો હતો જેથી કરીને ગૌવંશ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌશાળાના આ નંદીની આમરણ ગૌશાળા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નંદીની સમાધિ આપવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગૌવંશને નરમ આંખે વિદાય આપી હતી.હાલમાં આ ગૌશાળામાં ૩૦૦ જેટલા આબોલ જીવોને સાચવવામાં આવી રહ્યા છે જે પૈકીના અમુક પશુઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી હોય તે અંગે પણ ગ્રુપ દ્વારા સેવાચાકરી કરવામાં આવી રહી છે.






Latest News