મોરબી નજીક ઉમા રેસિડેન્સી પાછળથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ
SHARE
મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ
મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં લંમ્પીએ માથુ ઊંચક્યું છે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશો તેની ઝપેટમાં આવ્યા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં શહેરી વિસ્તારમાં પણ ગૌવંશોના મૃત્યુ થઈ રહ્યા છે જોકે કોરોનાની માફક જ મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે નવી વાસ્તવિકતા છે. તેની વચ્ચે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ ગૌશાળામાં હાલમાં વાયરસના લીધે મુખ્ય નંદીનો ભોગ લેવાયો હતો જેથી કરીને ગૌવંશ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌશાળાના આ નંદીની આમરણ ગૌશાળા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નંદીની સમાધિ આપવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગૌવંશને નરમ આંખે વિદાય આપી હતી.હાલમાં આ ગૌશાળામાં ૩૦૦ જેટલા આબોલ જીવોને સાચવવામાં આવી રહ્યા છે જે પૈકીના અમુક પશુઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી હોય તે અંગે પણ ગ્રુપ દ્વારા સેવાચાકરી કરવામાં આવી રહી છે.