મોરબી જિલ્લા તલાટીમંત્રી મહામંડળમાં પ્રમુખ પદે ભાવેશભાઇ કાસુન્દ્રાની બીન હરીફ વરણી
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
SHARE
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ તા.૩૧-૭-૨૨ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં તેમનો વિદાય સન્માન સમારંભ શાળા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કો.ઓર્ડિનેટર રમેશભાઈ હુંબલ, તાલુકા શાળાનાં આચાર્ય પુષ્પાબેન સોલંકી, ગૌશાળા પ્રા. શાળાના નિવૃત્ત આચાર્ય પ્રફુલભાઈ જોષી, નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાધેલા, વિદ્યાર્થિની વૈભવી નાગલાણી અને વિદ્યાર્થી તીર્થ સવાડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને ચંદુલાલ વિડજાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.તો ચંદુલાલ વિડજાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરીને રૂા.૧૧ હજૈરની કિંમતનું બ્લ્યૂ સ્ટાર કંપનીનું વોટર કૂલર શાળાને ભેટ આપ્યું હતું. ક્રાર્યકમનું સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.ચંદુભાઈ વીરજા અગાઉ નીલકંઠ વિદ્યાલયના સંચાલક તરીકે પણ કાર્યરત હતા.