મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ


SHARE















મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

દેશના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ભારતભરમા મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે.મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ "મન કી બાત ટીફીન કે સાથ" કાર્યક્રમ યોજાય છે.

પંચાસર ગામે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ (બોસ સિરામીક), તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા,નરેન્દ્રસિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડી સરપંચ ભગીરથસિંહ જાડેજા સૌએ સાથે મળી પ્રધાનમંત્રીની મન કી બાત નિહાળી હતી.કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ મન કી બાત બાબતે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમા કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે.મંત્રી )એ તમામ દેશવાસીઓને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૧૧ વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી.પંસાસર-શિવનગર ગામના આગેવાનોએ મંત્રીનુ ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.

 






Latest News