મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE















મોરબીના ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુંટુ ગામના યુવાનનું મોતનું નીપજ્યું હતું.જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતો પાર્થ ગોવિંદભાઈ પરેચા નામનો વીસ વર્ષનો પટેલ યુવાન ગઈકાલ તા.૩૧-૭ ના સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ટીફીન આપવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ ઉપરથી તે જયારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એકોર્ડ સીરામીકના ગેઇટની સામે તેના બાઈકને પાણી ભરેલા ટેન્કર નંબર દીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી પાર્થ પરેચા નામના ઘુંટુ ગામના યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ સાથે કરવામાં આવી છે.હાલમાં મૃતકના પિતા ગોવિંદભાઈ ગાંડુભાઇ પરેચા જાતે પટેલલ (૫૨) રહે.ઘુંટુ તા.મોરબી વાળાઓએ ઉપરોકત ટ્રક નંબર જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જેતુનબેન કાસમભાઇ જંગીયા (૪૦) ચાલીસ અને ઇમરાન કાસમભાઇ જંગીયા (૨૩) ને વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વિસીપરા વિસ્તારમાં જ લાઈન્સનગરમાં રહેતા સોનલબેન દિલીપભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News