ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલાની શાળામાં આર્મીમેનોનું સન્માન કરાયું
મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો
SHARE
મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો
મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને આ રાખી મેળામાં વિવિધ સખી મંડળ દ્વારા સ્ટોલ રાખીને ૮મી ઓગસ્ટ સુધી રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. આ તકે મંત્રી ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિગ્નેશભાઇ કૈલા, ભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.