મોરબીના પંચાસર રોડે નાની કેનાલ પાસે રોડમાં પાલિકાનું વાહન ફસાઈ ગયું
મોરબી જલારામ મંદિરે ગુરૂવારે વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE
મોરબી જલારામ મંદિરે ગુરૂવારે વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા ૪ ના રોજ વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાશે અને અત્યાર સુધીના ૧૧ કેમ્પમા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૬૫૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સગયોગ થી આગામી તા.૪ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.
આ ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.