મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો લોક સંવાદ યોજાયો
મોરબીમાં સરદાર બાગ સામેથી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવાની માંગ
SHARE
મોરબીમાં સરદાર બાગ સામેથી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવાની માંગ
મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે શાકમાર્કેટ હાલમાં ભરાઈ છે તેને અન્ય ખસેડવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ટ્રાફીક, ગંદકી અને પાર્કીંગના પ્રશ્નો ઉકેવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી જ્યારે સર્વત્ર વ્યાપેલ હતી ત્યારે સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા ફરમાન કરવામા આવ્યુ હતુ. તે સમયે મોરબી પાલીકા દ્વારા શહેરના સરદાર બાગ સામે શાકમાર્કેટ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારથી જ ત્યાં માર્કેટ ભરાઈ છે અને તે મેદાનમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓના વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે જો કે, ત્યાં માર્કેટ હોવથી પાર્કિંગ, ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે તેમજ હોસ્પીટલો પણ આવેલ છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે વિદ્યાર્થીઓ સહિતાનાઓના હીતને ધ્યાને લઈને શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, પ્રોફેસર નિર્મિતભાઇ કક્કડ સહિતના સાથે રહ્યા હતા