મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
પ્રમાણિકતા: મોરબીના રિક્ષા ચાલકે યુવાનને શોધીને તેનો મોબાઈલ પરત કર્યો
SHARE
પ્રમાણિકતા: મોરબીના રિક્ષા ચાલકે યુવાનને શોધીને તેનો મોબાઈલ પરત કર્યો
મૂળ વતન કચ્છનાં નાના નાંદરા (સનોસરા) ગામના મહેન્દ્રસિંહ જાલુભા જાડેજા પોતે જાત મહેનત કરી સ્વમાન પૂર્વક ઇકો સ્કુલ વાન, રિક્ષા ચલાવી પોતાના પરિવાર સાથે ગૌરવભેર જીવન જીવતા મહેનતકશ કચ્છી માડુની જિંદાદિલી ઝળકી ઉઠી સામાં વાળાને પણ સહજ સલામ કરવાનું મન થાય તેવા કિસ્સો જાણવા મળી રહ્યો છે.
મૂળ કચ્છ નાં નાંદરા(સનોસરા) નાં મહેન્દ્રસિંહ જાલુભા જાડેજા હાલ રોજગારી અર્થે મોરબી સ્થાયી થયેલ છે અને જાત મહેનત કરી સ્કુલમાં ઇકો વાન, રિક્ષા ચલાવી સ્વમાનભેર જીવન જીવતા મહેન્દ્રસિંહને તાજેતરમા મોરબીનાં સજનપર ઘુંનડા રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં કીમતી એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા આ અંગે જરૂરી તપાસ ખાત્રી કરી તેના મૂળ માલિક મોરબીનાં પંડ્યા ભૂદેવ પરિવારનો હોવાનુ જાણ થતાં તેઓ પોતાનો ધંધો બંધ રાખી સામેથી મોબાઈલનાં મૂળ માલિકનાં ઘરે જઈ તેમના કીમતી મોબાઈલ પરત કરતા સામે મધ્યમ વર્ગીય ભૂદેવ પરિવારે પણ આજનાં યુગમાં પણ માનવતા મરી પરવારી નથી. હજુ પણ આવા નેકદિલ, પ્રમાણિક ઇન્સાન છે વધુમાં મહેન્દ્રસિંહએ જણાવેલ કે થોડા વર્ષ પહેલાં પોતાની રિક્ષામાં રૂપિયા દોઢ લાખનાં સોના ચાંદીના દાગીનાની થેલી એક પરિવાર ભૂલી ગયો હતો ત્યારે પેસેન્જરને શોધીને મૂળ માલિકને તે દાગીના પરત આપ્યા હતા