મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો


SHARE













ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનાઓમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ટંકારાની લતીપર ચોકડી પાસેથી પકડીને ટંકારા પોલીસને સોંપ્યો હતો.

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે શોધખોળ કરવામાં આવી રહી હતી.તેવામાં નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા (ઉમર ૨૪) રહે.મોટા પાવગામ જિલ્લો દાહોદ વાળો ટંકારાની લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે બે વર્ષથી જુદાજુદા ચોરીના ગુના કરી નાસતો ફરતો આરોપી ત્યાંથી પકડી પડ્યો હતો અને આ આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઘવાયેલ દંપતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારના વૈભવ હોમ્સમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ કલોલા (૫૭) અને તેમના પત્ની ત્રિવેણીબેન સુરેશભાઈ (૫૫) ને ફ્લેટ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પોલીસ દ્વારા જઈને નિવેદન નોંધવામાં આવતા તેઓના એપાર્ટમેન્ટમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.






Latest News