મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરબા ઉપર ૧૮ ટકા જીએસટીનો ગરબા રમીને કરાયો વિરોધ


SHARE













મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરબા ઉપર ૧૮ ટકા જીએસટીનો ગરબા રમીને કરાયો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ગરબા ઉપર ૧૮ ટકા જીએસટી નાખવામાં આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢીને મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે ગરબા રમીને તેમજ ધારણા કરીને કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને હાલમાં ગરબા ઉપર જે ૧૮ ટકા જીએસટી નાખવામાં આવ્યો છે તે નિર્ણયને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને પાછો ખેંચવામાં નહીં આવે તો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે તેવું હાલમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ગીરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રણસરિયા, પરેશભાઈ પારીયા સહિતના આગેવાનો ત્યાં હાજર હતા અને તેઓએ ગરબા ઉપર લગાવવામાં આવેલા જીએસટી પરત ખેંચવાની માંગ કરી હતી








Latest News