મોરબી વીજ કચેરી હેઠળ સર્કલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી અને જનરલ કાઉન્સિલ મેમ્બરની પસંદગી કરાઇ
મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય
SHARE
મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય
મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જે આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ એક મહિનો ટ્રકના પૈડાં બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે
મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે આગામી તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરોની મિટિંગ રાખવામા આવી હતી જેમાં આગામી દિવસોમાં એક મહિના સુધી સિરામિકના કારખાના બંધ રહેવાના છે જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના દરેક સભ્યઓની સંમતિ સાથે ૧૫ ઓગસ્ટથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના સભ્યો દ્વારા ટ્રકના પૈડાં થાંભવવાનો નિર્ણય કરવામાં આવેલ છે