મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય


SHARE













મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જે આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ એક મહિનો ટ્રકના પૈડાં બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે

મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે આગામી તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરોની મિટિંગ રાખવામા આવી હતી જેમાં આગામી દિવસોમાં એક મહિના સુધી સિરામિકના કારખાના બંધ રહેવાના છે જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના દરેક સભ્યઓની સંમતિ સાથે ૧૫ ઓગસ્ટથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના સભ્યો દ્વારા ટ્રકના પૈડાં થાંભવવાનો નિર્ણય કરવામાં આવેલ છે








Latest News