મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ
SHARE
મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ
દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે જે અભિયાન અંતર્ગત જેતપરની તપોવન વિદ્યાસંકુલનાં ધો- ૧ થી ૫ ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવનાનો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકોમાં દેશપ્રેમ જગાડવા માટેની કામગીરી કરી હતી અને ભારતની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક ઘટનાઓ અને આઝાદીમાં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો. જેથી ભારતનું યુવાધન આપણા દેશના અમૂલ્ય વારસાથી પરિચિત થાય તેમજ આઝાદીનું મૂલ્ય સમજી શકે અને આઝાદીનું જતન કરવાનો ગુણ કેળવાય. અને તપોવન વિદ્યાસંકુલના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિનું આ ઉદાહરણ રજુ કર્યું હતું.