ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે કૂવામાં પડી જતા તરૂણનું મોત


SHARE













વાંકાનેરના લાકડધાર ગામે કૂવામાં પડી જતા તરૂણનું મોત
 
મોરબીના વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રાજુભાઈની વાડીએ કૂવામાં પડી જવાથી તરૂણનુ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને માનસીક અસ્થીર મૃતક તરૂણના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 
 
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં રાજુભાઇની વાડી આવેલ છે જેમાં આવેલ કુવામાં બાજુમાં રહેતો વિક્રમ અરવિંદભાઈ સગાલા જાતે કોળી (ઉંમર વર્ષ ૧૬) રહે. લાકડધાર તા.વાંકાનેર વાળો પડી જતા ડુબી જવાથી તેનું મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વાંકાનેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને વાંકાનેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા બીટ જમાદાર જે.જી.ઝાલાએ અકસ્માત મોત અન્વયે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરે છે.તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક વિક્રમભાઈ કોળી અવારનવાર ઘરેથી કહ્યા વિના ચાલ્યા જતા હતા અને માનસિક અસ્થિર હોય કોઈ કારણોસર તેમના ઘરની બાજુમાં આવેલ રાજુભાઈની વાડીના કુવામાં પડી જવાથી વિક્રમ કોળીનું મોત નિપજેલ છે.
 
મહિલાનું મોત
 
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સોકેરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા ચિત્રાબેન નીરજભાઈ પાંડે (ઉંમર ૨૭) ને કમળાની બીમારી હતી દરમિયાન તેણીનું મોત થયું હતું જેથી કરીને તેઓના પતિ ચિત્રાબેનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
બાળક-યુવાન સારવારમાં
 
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સનગોલ્ડ સેનેટરી નજીક બાઇકમાં જઇ રહેલા ઉમર મન્સૂરી નામનો સાત વર્ષના બાળક શ્રીજીકાંટા નજીક ચાલુ બાઇકે પડી જતા સારવારમાં ખાનગી હોસ્પીટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ મગનભાઇ છાસીયા નામનો ૨૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવારમાં ખસેડાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ





Latest News