પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર
મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારોએ આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારોએ આવેદનપત્ર પાઠવ્યું
મોરબીમાં લોકોએ નાણાની બચત કરવા માટે પીએસીએલમાં રૂપિયા રોક્યા હતા અને ઘણા લોકો તેમાં એજન્ટ તરીકે કામ પણ કરતાં હતા ત્યારે સેબીએ તેના ઉપર રોક લગાવી દેતા વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને મોરબીમાં કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ઘણા એજન્ટ પીએસીએલનું કામ કરતાં હતા જો કે, આ કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત મળ્યા નથી જેથી કરીને એજન્ટોને ધમકી મળી રહી છે જેથી મોરબીના એજન્ટો અને રોકાણકારો કલેકટર, એસપી તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું