મોરબીના રંગપર પાસે કારખાનાના પ્લાન્ટમાં દાઝી જતાં સગર્ભા માતા-પુત્ર સારવારમાં
પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર
SHARE
પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર
“આઝાદી કાં અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ-પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે અને જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે અને પર્યાવરણના જતન માટે તેમજ હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે. તેને નાથવા માટે વૃક્ષા રોપણ વધુમાં વધુ કરવા માટે આપીલ પણ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, પેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, ફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુ, જેટકોના અધિકારી અમૃતિયા, લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, હીતેશભાઇ જાનવા, ઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે હાજર રહ્યા હતા અને આગેવાનોએ વૃક્ષ જતનનો સંકલ્પ કર્યો હતો