રાજકીય નવાજૂનીના એંધાણ: દિલ્હીના દરબારમાં નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
SHARE
રાજકીય નવાજૂનીના એંધાણ: દિલ્હીના દરબારમાં નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
મોરબીમાં યોજાયેલા બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં ચાલતી લૂખ્ખગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે તેવું કહયાના ગણતરીના દિવસો બાદ તેઓ દિલ્હી ખાતે જઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જેથી કરીને આ મુલાકાતને સૂચક મુલાકત ગણવામાં આવી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વાંછુકોમાં ગણગણાટ થવા લાગ્યો છે
થોડા દિવસો પહેલા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સામે બ્રહ્મ સમાજના આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને કહ્યું હતું કે, ૩૫ વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહરાજ્ય મંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મે છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ. તેમજ આગામી ચૂંટણીને લઈને તેઓએ કહ્યું હતું કે, લોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ આટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે, “આજની તારીખે પણ આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેના નામ મારે લેવા નથી તે સમજી જ જશે અને તેનાથી હું ડરતો નથી” આ નિવેદન કરવામાં આવ્યું હતું તેના ગણતરીના દિવસોમાં જ કાંતિભાઈ અમૃતિયા દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા હતા જેથી કરીને આગામી ચૂંટણીને લઈને કઈક નવા સમીકરણ મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે ગોઠવાઈ રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી