હળવદની શાળા નં-૪ ના બે બાળકો જિલ્લા કક્ષાએ કલા મહોત્સવ ઝળકશે
મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ
SHARE
મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ
મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સદગુરુ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો બાળક છેલ્લા નવ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલ અયોધ્યા ચોક પાસે યોગરાજનગર-૨ માં રહેતા દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા પાર્થ (ઉંમર ૧૪) નું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૩૧/૭ ના રોજ વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી તે મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમ ખાતે ભણવા માટે મૂકવામાં આવ્યો હતો ત્યાંથી ગુમ થઈ ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને કોઈ અજાણ્યો માણસ દ્વારા કોઈ કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની હાલમાં દેવેન્દ્રભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા પાર્થને શોધવા માટે થઈને અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે