વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સદગુરુ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો બાળક છેલ્લા નવ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલ અયોધ્યા ચોક પાસે યોગરાજનગર-૨ માં રહેતા દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા પાર્થ (ઉંમર ૧૪) નું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૩૧/૭ ના રોજ વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી તે મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમ ખાતે ભણવા માટે મૂકવામાં આવ્યો હતો ત્યાંથી ગુમ થઈ ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને કોઈ અજાણ્યો માણસ દ્વારા કોઈ કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની હાલમાં દેવેન્દ્રભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા પાર્થને શોધવા માટે થઈને અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News