મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ
વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે
SHARE
વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે
વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળા માટે અગાઉ હરરજી કરવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવેલ છે અને આવતીકાલે વાંકાનેર પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવેલ છે
વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી તેમજ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અગાઉ હરરજી કરવામાં આવી ત્યારે અરજી કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ ખોટી રીતે મેળાનું મેદાન આપવામાં આવે છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને ફરીથી મેદાન માટે હરરજી કરવાનો આદેશ કર્યો હતી જેથી કરીને તા ૧૦ ના રોજ બપોરે બાર વાગ્યે પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવી છે