મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે શાસ્ત્રી વિપુલભાઇ શુકલના આચાર્ય પદે જનોઈ બદલાવવામાં આવશે
SHARE
મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે જનોઈ બદલાવવામાં આવશે
મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો દ્વારા સમૂહમાં જનોઈ બદલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આગેવાને જણાવ્યુ હતું કે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે તા. ૧૧ ને ગુરુવારના રોજ સવારે ૮:૩૦ કલાકે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા બહાર મોરબી ખાતે નૂતન જનોઈ બદલાવવા માટેનું આયોજન કરેલ છે અને ધાર્મિક વિધિ સાથે જનોઈ બદલાવવામાં આવશે જેથી કરીને સર્વે ભૂદેવોને તેનો લાભ લેવા માટે શાસ્ત્રી વિપુલભાઈ (૯૮૨૫૨ ૩૧૭૩૦)એ જણાવ્યુ છે અને તેનો સંપર્ક કરવા માટે કહ્યું છે