ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

કલેકટર ધ્યાન આપે : મોરબી પાલિકા લોકમેળો નહીં યોજે, ખાનગી મેળામાં લોકો લુંટાઇ નહીં તે માટે રાઇડ્સ અને ખાણીપીણીમાં ભાવ બાંધણુ કરવા લોકોની માંગ


SHARE













મોરબીમાં પાલિકા લોકમેળો નહીં યોજાઇ ?: ખાનગી મેળામાં લૂંટાવા માટે લોકો રહે તૈયાર !

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે સરકારી અને ખાનગી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી તહેવારોના દિવસોમાં લોકો મેળાની મજા માણવાની સાથોસાથ ફજત ફાળકામાં બેસવા સહિતનો આનંદ લૂટતા હોય છે અગાઉ મોરબીમાં એકી સાથે પાંચ પાંચ મેળાનું આયોજન કરવામાં આવતું હતું જો કે, આ વર્ષે પણ પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી જેથી કરીને નગરજનોને નાછૂટકે ખાનગી મેળામાં લૂંટાવવા માટે તૈયાર રહેશે

મોરબી પાલિકા દ્વારા અગાઉ જન્માષ્ટમી દરમ્યાન વિસીપરા વિસ્તારમાં આવેલ ધોળેશ્વર સ્મશાન પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું જો કે, તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે જેથી કરીને હવે મોરબીમાં મોટા ભાગે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં જુદીજુદી રાઈડ, રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિતનું આયોજન કરવામાં આવે છે અને લોકોની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મેળાની મોજ માણવા માટે મોરબીવાસીઓ નાછૂટકે ત્યાં જતાં હોય છે ત્યારે આગું તો મોરબીમાં પાલિકા સહિત પાંચ પાંચ મેળાના આયોજનો કરવામાં આવતા હતા જો કે, આ વર્ષે પાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે નહીં જેથી કરીને ખાનગી મેળાના સંચાલકોને લોકોને લૂંટવા માટેનો છૂટો દોર મળી જવાનો છે ત્યારે જિલ્લાના કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા ખાનગી મેળાને લૂંટ મેળો બનતા અટકાવવા માટે યોગ્ય કાર્યાવહી કરવામાં આવે અને તમામ વસ્તુઓનું ભાવ બાંધણું કરવામાં આવે તેમજ તેનો તહેવારના દિવસોમાં અમલ કરવામાં આવે છે કે કેમ તેના માટે ચેકિંગ કરવામાં આવે તે જરૂરી છે






Latest News