મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા


SHARE











મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને દિલ્હીમાં લોકોને જેવી ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે તેની સાચી વાત પહોચડવા માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર માટે ડાયરાના આયોજન કરવામાં આવેલ છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ૧૫ જેટલા ડાયરા આગામી દિવસોમાં કરશે જેમાં લોકોને ડાયરા મધ્યમથી લોકોને ગુજરાત સરકારની નિષ્ફળતા આ ને દિલ્હી સરકાર દ્વારા લોકો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવશે અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે અને તા. ૯ થી ડાયરા શરૂ કરવામાં આવેલ છે જે બેલા, રંગપર, નાની બરાર સહિતના ગામમાં યોજાશે તેમજ તા ૧૦ ના રોજ કેરાળા અને ચાચાવદરડા, તા ૧૧ ના રોજ ધરમપુર અને મોટાભેલા, તા ૧૨ જેતપર અને દેરાળા, તા ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ, તા ૧૫ ના રોજ સોખડા અને મોટા દહીંસરા તેમજ તા ૧૭ ના રોજ કાજેડા ગામે ડાયરો અને જનસંવાદ યોજાશે






Latest News