મોરબી વોટર સપ્લાય આસો. દ્વારા ગૌસેવા અને પશુની સેવા માટે અપાયું દાન
વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !
SHARE
વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !
મોરબી રાજકોટ ફોરલેન રોડનું લોકાર્પણ કયારે થશે ? તે સવાલ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. કારણકે વિજયભાઇ રૂપાણી સીએમ હતા તે સમયે વર્ષ ૨૦૧૬ માં કામ શરૂ કરાવાયુ હતુ જે કામ કહેવાતા ગતીસીલ ગુજરાતમાં છ વર્ષ જેવો સમય વિતી જવા છતા પણ પુર્ણ થયેલ નથી..! તે હકીકત છે. અને રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને અધિકારીઓની સિથીલતાના લીધે લોકોએ હેરાન થવું પડે છે તે નરી વાસ્તવિકતા છે.
મોરબી-રાજકોટ ફોરલેન રોડની મુદત પુરી થઈ ગઈ છે અને હજૂ પણ અનેક જગ્યાઓએ નાલા-પુલીયા અને રોડના કામ બાકી છે તો. વહેલી તકે લોકાર્પણ થાય તે જરૂરી છે.નવલખી ફાટક પાસે જુનાં આરટીઓ રેલ્વે ઓવર બ્રીજની કામગીરી વહેલી તકે પુર્ણ થાય તે જરૂરી છે.અકસ્માતો નિવારવા માટે અને માનવ કલાકો તેમજ કિંમત ઇંધણ બચાવવા આ કામો વહેલી તકે પુરા થાય તે જરૂરી છે.ઓવરબ્રીજનાં કામની મુદત પુરી થઈ ગઈ છે છતાં રોડને લગતી બાકી રહેતી કામગીરી હવે વહેલી તકે પુર્ણ કરાવવી જોઇએ.આ રોડ ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે ભગડા મામા પાસે આવેલ શનાળા રાજપર ચોકડીનું સર્કલ નાનું સર્કલ બનાવવું જોઇએ તેમજ લજાઈ ચોકડી પાસે ત્રણ રસ્તા પાસે નાનું સર્કલ બનાવવું જોઇએ, રોડ ઉપર રાત્રે દેખાય તે રીતે રેડીયમનાં સાઇડના તેમજ રોડ ઉરરના રીફલેટર મુકવાં જરૂરી છે.આખા રોડ ઉપર જયાં જરૂરી હોય ત્યાં અને અકસ્માતો વધુ થતાં હોય ત્યાં મુકવાં જોઇએ,લજાઈ અને વી૨૫૨ અંડરપાસના સર્વિસ રોડના કામ વહેલી તકે પુરા કરાવવા જોઇએ તેવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અહીંના સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ લેખીત રજૂઆત કરેલ છે.