મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !


SHARE









વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !

મોરબી રાજકોટ ફોરલેન રોડનું લોકાર્પણ કયારે થશે ? તે સવાલ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. કારણકે વિજયભાઇ રૂપાણી સીએમ હતા તે સમયે વર્ષ ૨૦૧૬ માં કામ શરૂ કરાવાયુ હતુ જે કામ કહેવાતા ગતીસીલ ગુજરાતમાં છ વર્ષ જેવો સમય વિતી જવા છતા પણ પુર્ણ થયેલ નથી..! તે હકીકત છે. અને રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને અધિકારીઓની સિથીલતાના લીધે લોકોએ હેરાન થવું પડે છે તે નરી વાસ્તવિકતા છે.

મોરબી-રાજકોટ ફોરલેન રોડની મુદત પુરી થઈ ગઈ છે અને હજૂ પણ અનેક જગ્યાઓએ નાલા-પુલીયા અને રોડના કામ બાકી છે તો. વહેલી તકે લોકાર્પણ થાય તે જરૂરી છે.નવલખી ફાટક પાસે જુનાં આરટીઓ રેલ્વે ઓવર બ્રીજની કામગીરી વહેલી તકે પુર્ણ થાય તે જરૂરી છે.અકસ્માતો નિવારવા માટે અને માનવ કલાકો તેમજ કિંમત ઇંધણ બચાવવા આ કામો વહેલી તકે પુરા થાય તે જરૂરી છે.ઓવરબ્રીજનાં કામની મુદત પુરી થઈ ગઈ છે છતાં રોડને લગતી બાકી રહેતી કામગીરી હવે વહેલી તકે પુર્ણ કરાવવી જોઇએ.આ રોડ ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે ભગડા મામા પાસે આવેલ શનાળા રાજપર ચોકડીનું સર્કલ નાનું સર્કલ બનાવવું જોઇએ તેમજ લજાઈ ચોકડી પાસે ત્રણ રસ્તા પાસે નાનું સર્કલ બનાવવું જોઇએ, રોડ ઉપર રાત્રે દેખાય તે રીતે રેડીયમનાં સાઇડના તેમજ રોડ ઉરરના રીફલેટર મુકવાં જરૂરી છે.આખા રોડ ઉપર જયાં જરૂરી હોય ત્યાં અને અકસ્માતો વધુ થતાં હોય ત્યાં મુકવાં જોઇએ,લજાઈ અને વી૨૫૨ અંડરપાસના સર્વિસ રોડના કામ વહેલી તકે પુરા કરાવવા જોઇએ તેવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અહીંના સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ લેખીત રજૂઆત કરેલ છે.






Latest News