ટંકારા તાલુકાનાં હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ
SHARE
ટંકારા તાલુકાનાં હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ
ટંકારાના હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, કૃષક ભારતીનાં જનરલ મેનેજર ડો.જી.વી.કાછડિયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર સખીયાં, મોરબી માર્કેટિંગ યાર્ડનાં ભવાનભાઈ ભાગિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
આ સહકારી પરિષદમાં સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગૌ આધારિત સજીવ ખેતી તેમજ વ્યવસાય તરીકે પશુપાલન થકી સારી આવક મેળવ આગેવાનો દ્વારા ટકોર કરવામા આવી હતી ત્યારે હરબટીયાળી સહકારી મંડળીનાં સંચાલકો અને સભાસદોની કામગીરીની આ તકે હાજર રહેલા આગેવાનો દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી. આ તકે કૃષક ભારતીનાં ડો.કાછડીયાએ રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કર્યો હતો તેમજ આ કાર્યક્રમમાં ખેડૂતો માટેની વિવિધલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વ.વિઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં મેડિકલ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગા લહેરાવવા ખેડૂતો સહિતનાઓને અનુરોધ કરાયો હતો