ટંકારા તાલુકાનાં હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ
ભુચરમોરીના મેદાનમાં યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં મોરબી જિલ્લાના ૫૦૦ થી વધુ યુવાનો જોડાશે
SHARE
ભુચરમોરીના મેદાનમાં યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં મોરબી જિલ્લાના ૫૦૦ થી વધુ યુવાનો જોડાશે
અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આગામી સાતમના દિવસે ભુચરમોરીના મેદાનમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી ૫૦૦૦ જેટલા રાજપૂત યુવાનો જોડાવના છે તેની પ્રેક્ટિસ માટે કોરિયોગ્રાફર મોરબી આવ્યા હતા અને મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ માઁ ગરબી ના મેદાનમાં રાજપૂત સમાજના ૫૦૦ જેટલા ભાઇઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવી હતી
વર્ષ ૨૦૧૮ માં ભુચરમોરીના મેદાનમાં રાજપૂતાણીઓ દ્વારા ઐતિહાસિક તલવાર રસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ વર્ષ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આગામી સાતમના દિવસે ભુચરમોરીના મેદાનમાં રાજપૂત યુવાનોના તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકી સાથે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી આવેલા ૫૦૦૦ જેટલા યુવાનો તલવાર રસ રજૂ કરીને ભુચરમોરીના મેદાનમાં શાહિદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અને આ ઐતિહાસિક તલવાર રસની તાલીમ કોરિયોગ્રાફર જે.સી જાડેજા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશમંત્રી જયદેવસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહી છે જેના ભાગરૂપ મોરબીમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી સાતમના દિવસે ભુચરમોરી ખાતે યોજાનાર ઐતિહાસીક તલવાર રાસમાં મોરબી જીલ્લામાંથી કુલ મળીને ૫૦૦ થી વધુ ભાઇઓ જોડાવાની છે તેને તાલીમ આપવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ નિરૂભા ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, રાજવીરસિંહ સરવૈયા તેમજ અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘના જયશ્રીબા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા તલવાર રાસ રજુ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવે તેવી સહુ કોઈએ શુભકમના પાઠવી હતી