મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએ: જે.બી.પટેલ 


SHARE









મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએજે.બી.પટેલ 

સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનની ઉમંગભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબીની સમગ્ર જનતાને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઓફિસ વગેરે જગ્યાએ તિરંગો લહેરાવવા અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રી જે.બી. પટેલે જણાવ્યું હતું કેદેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. જે હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા કાર્યક્રમને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આ અભિયાનમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં જોડાવવા માટે મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું. આપના ઘરઓફિસફેક્ટરીતમામ સ્થળે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણે સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ.






Latest News