મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએ: જે.બી.પટેલ 


SHARE















મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએજે.બી.પટેલ 

સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનની ઉમંગભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબીની સમગ્ર જનતાને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઓફિસ વગેરે જગ્યાએ તિરંગો લહેરાવવા અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રી જે.બી. પટેલે જણાવ્યું હતું કેદેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. જે હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા કાર્યક્રમને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આ અભિયાનમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં જોડાવવા માટે મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું. આપના ઘરઓફિસફેક્ટરીતમામ સ્થળે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણે સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ.






Latest News