મોરબીમાં પડેલ આઇટીની રેડમાં બીજા દિવસે કાર્યવાહી ચાલુ: ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા !
મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએ: જે.બી.પટેલ
SHARE
મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએ: જે.બી.પટેલ
સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનની ઉમંગભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબીની સમગ્ર જનતાને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઓફિસ વગેરે જગ્યાએ તિરંગો લહેરાવવા અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રી જે.બી. પટેલે જણાવ્યું હતું કે, દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. જે હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા કાર્યક્રમને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આ અભિયાનમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં જોડાવવા માટે મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું. આપના ઘર, ઓફિસ, ફેક્ટરી, તમામ સ્થળે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણે સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ.