ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE













મોરબીમાં યોજાયેલ તિરંગા યાત્રાનું રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે થઈને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેને સાર્થક કરવા માટે થઈને હાલમાં સંગઠન તેમજ સરકાર અને અન્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારે પ્રેમસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, ચંદુભાઈ હુંબલ, રુચીરભાઈ કારીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીભાઈ સરડવા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર અને રવાપર રોડ ઉપરથી જ્યારે આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે વિદ્યાર્થીઓ સહિતના લોકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવવામાં આવતા દેશભક્તિનો માહોલ મોરબીમાં ઉભો થયો હતો






Latest News