મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !
મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત
SHARE
મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત
મોરબીમાં જુદાજુદા સ્થળે ક્રાંતિકારીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે જો કે, ટે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા આવે અને ત્યાં કાયમી સફાઈ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે
હાલમાં ક્રાંતિકારી સેના દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, દેશની આઝાદી માટે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે જેથી કરીને તેને લોકો યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી, ક્રાંતિકારી ભગતસિંહ, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ તમામ પ્રતિમાઓની આસપાસમાં ગંદકીના ઢગલા છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે અને પ્રતિમાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે









