Morbi Today
મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !
SHARE
મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !
છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં તલાટીઓ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલવામાં આવતા હડતાલ પાડવામાં આવી છે ત્યારે તલાટીઓ તિરંગા યાત્રા કાઢી વાંકાનેર તાલુકામાં આવતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને અત્રે ઉલેખનીય છે કે, તલાટીઓએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લઈને પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોચડવા માટે હવે મહાદેવનું શરણ લીધું છે અને જડેશ્વર મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી અને ત્યાં સરકારને સદબુદ્ધિ આપવા માટેની તલાટીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી









